Explore

Search

September 18, 2026

Contact us -7820092500

IAS Coaching

અમદાવાદમાં ACBનો સફળ ટ્રેપ: PM આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે રૂ.4.07 લાખની લાંચ લેતા ખાનગી વ્યક્તિ ઝડપાયો

અમદાવાદ: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સેટિંગ કરી મકાન ફાળવી આપવાના નામે રૂ.4,07,500ની લાંચ સ્વીકારતા અમદાવાદના પંડ્યા સુરેશકુમાર દશરથભાઈને ACBએ શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ગેટ નં.3 નજીકથી રંગેહાથ ઝડપી પાડ્યો. ફરિયાદી પાસેથી અગાઉ રૂ.3,82,500 મેળવ્યા બાદ સાહેદ પાસેથી રૂ.5,75,000ની માંગણી કરી હતી, જે રકઝક બાદ રૂ.4,07,500 નક્કી થઈ હતી. ફરિયાદના આધારે તા.16 સપ્ટેમ્બરે ગોઠવાયેલા ટ્રેપમાં આરોપી પાસેથી લાંચની સમગ્ર રકમ રિકવર કરવામાં આવી. કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. મહેતા અને ટીમે કરી.

Advertisement
error: Content is protected !!