સુરત: સતત ભારે વરસાદ વચ્ચે મોડી રાત્રે સુરતમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર સુરતથી આશરે 42 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ઓછી તીવ્રતાના કારણે જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.
ભારે વરસાદને પગલે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં સુરત જિલ્લાના 7 ગામોમાંથી 295 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયા છે. જિલ્લા તંત્રે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.


