Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News : ગુજરાત હાઈ કોર્ટે સતત વધતા જતા કેસોના ભારણ ઘટાડવા શું લીધો નિર્ણય?

ગુજરાત હાઈ કોર્ટમાં કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે કોર્ટનું ભારણ વધી રહ્યું છે. કોર્ટની પ્રક્રિયાઓને આધુનિક બનાવવા અને સતત વધતા જતા કેસોના ભારણને હળવો કરવાના હેતુથી, ગુજરાત હાઈ કોર્ટે સુધારેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરની જાહેરાત કરી છે. જેનો આજથી જ અમલ શરૂ થયો છે. આ વ્યૂહાત્મક ફેરફારનો હેતુ કોર્ટની કામગીરીને વકીલો અને અરજદારો બંને માટે વધુ પારદર્શક, કાર્યક્ષમ અને સરળ બનાવવાનો છે. નવા કેસોની નોંધણીમાં થઈ રહેલા સતત વધારાને કારણે ઊભી થયેલી પડકારજનક સ્થિતિને કોર્ટે અત્યંત અનિયંત્રિત ગણાવી છે, તેને ધ્યાનમાં રાખીને આ સુધારો કરવામાં આવ્યો છે,સુધારેલી એસઓપી મુજબ મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોને કેસોનો સમયસર નિકાલ થવાની આશા છે. આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય અરજીઓને સાત કામકાજના દિવસોમાં લિસ્ટ કરવાનો છે. વકીલોએ તાકીદની સુનાવણી માટે વારંવાર કરવી પડતી “મેન્શનિંગ” પ્રથાને ઘટાડવાનો આનો હેતુ છે.

શું છે નવી એસઓપીમાં :- ચકાસણી પ્રક્રિયા: સેન્ટ્રલ ફાઇલિંગ સેન્ટર હવે વધુ કડક છતાં સરળ ચકાસણી પ્રક્રિયાનું પાલન કરશે. નવા કેસોને ફાઇલિંગ નંબર આપતા પહેલા ટુ-ટાયર ચેકલિસ્ટ દ્વારા તપાસવામાં આવશે.

ફાઇલિંગના નિયમો: પ્રથમ સ્તરમાં ફરજિયાત જરૂરિયાતો જેવી કે સહી કરેલી અરજીઓ, સોગંદનામા અને માન્ય વકાલતનામાનો સમાવેશ થાય છે. વહીવટી વિલંબ ઘટાડવા માટે, કેટલીક જરૂરિયાતોને ફાઇલિંગ નંબર જનરેટ કરવાના તબક્કે વૈકલ્પિક તરીકે રાખવામાં આવી છે.

દસ્તાવેજોમાં છૂટછાટ: જો સર્ટિફાઇડ નકલ તાત્કાલિક ઉપલબ્ધ ન હોય, તો તાબાની અદાલતના ચુકાદાઓની ઝેરોક્ષ નકલો સ્વીકારવામાં આવશે.

પક્ષકારો અંગે સ્પષ્ટતા: એસઓપીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે ન્યાયિક અધિકારીઓના આદેશોને પડકારવામાં આવ્યા હોય, તેમને વ્યક્તિગત પક્ષપાત કે ગેરવર્તણૂકના ચોક્કસ આક્ષેપો સિવાય પક્ષકાર તરીકે ન જોડવા જોઈએ.

તાકીદની સુનાવણી: જે વકીલો કે અરજદારો તમામ પ્રમાણિત દસ્તાવેજો વિના તાકીદની રાહત મેળવવા માંગતા હોય, તેઓ અરજી સીધી કોર્ટ સમક્ષ લિસ્ટ કરાવી શકશે.

Advertisement
error: Content is protected !!