સુરતનાં માંડવી તાલુકાનાં અરેઠ ગામે નવા ફળિયામાં મકાનમાં મોબાઈલ ચાર્જ કરતી વખતે વીજ કરંટ લાગવાથી ૨૭ વર્ષીય ગોપાલસિંહ ઉદયસિંહ રાવત (મૂળ રહે.રાજસ્થાન)નું મોત થયું હતું.
જોકે ગત તારીખ ૭ જુલાઈ, ૨૦૨૫ નારોજ આશરે ૧:૫૦ વાગ્યે તેમના નિવા સસ્થાને મોબાઈલ ચાર્જ કરી રહ્યા હતા. તે દરમિયાન નજીકમાં મૂકેલા ઇલેક્ટ્રિક બોર્ડમાંથી કોઈક રીતે તેમને વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવ અંગે મૃતકના નાના ભાઈ દેવેન્દ્રસિંહ ઉદયસિંહ રાવતએ માંડવી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

