ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર ઓર્ડર મુજબ, કેન્દ્ર સરકારના કેબિનેટની નિમણૂક સમિતિના સચિવાલય દ્વારા ગુજરાત કેડરના ચાર IAS અધિકારીઓની કેન્દ્રમાં જુનિયર સચિવ પદે નિમણૂક માટે સૂચના આપવામાં આવી છે. મનિષા ચંદ્રા, કે.કે. નિરાલા, સૈદિંગપુઈ છાકછુઆક અને સુપ્રીત સિંહ ગુલાટી આગામી પાંચ વર્ષ માટે ડેપ્યુટેશન પર દિલ્હી જશે.
નિયમિત ડેપ્યુટેશન હેઠળ નિમણૂક પામેલા અધિકારીઓ : 1. મનિષા ચંદ્રા, IAS બેચ 2004 – હાલમાં પંચાયત, ગ્રામ ગૃહ અને ગ્રામ વિકાસ વિભાગમાં સચિવ તરીકે કાર્યરત મનિષા ચંદ્રાની નિમણૂક સંરક્ષણ ઉત્પાદનો વિભાગ નવી દિલ્હીમાં સંયુક્ત સચિવ તરીકે કરવામાં આવી છે. 2. કે કે નિરાલા, IAS બેચ 2005 – વિત તંત્ર ખર્ચ વિભાગના સચિવ તરીકે કાર્યરત કે.કે.નિરાલાની નિયુક્તિ માહિતી અને પ્રસારણ મંત્રાલય નવી દિલ્હી ખાતે સંયુક્ત સચિવ તરીકે કરવામાં આવી છે. 3. સૈદિંગપુઈ છાકછુઆક, IAS બેચ 2008 – ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપતા આ અધિકારીની નિમણૂક માનવ અધિકાર આયોગ ગૃહ મંત્રાલય નવી દિલ્હી ખાતે સંયુક્ત સચિવ તરીકે થઈ છે. 4. સુપ્રીત સિંહ ગુલાટી, IAS બેચ 2008 – ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઑફ ગુજરાત DSAGના CEO તરીકે સેવા આપતા ગુલાટીની નિયુક્તિ અંકશાસ્ત્ર અને કાર્યક્રમ અમલ મંત્રાલય નવી દિલ્હી ખાતે સંયુક્ત સચિવ તરીકે થઈ છે.
આ ચારેય અધિકારીઓની કેન્દ્રમાં પાંચ વર્ષ કે વધુ સમય માટે પોતાની ફરજ નિભાવશે. આ હુકમ કમલ દયાણી અધિક મુખ્ય સચિવ સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.

