Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Crime News Update : પતિએ ઘર કંકાસનાં કારણે પત્નીને છરીનાં ઘા મારી મોતને ઘાટ ઉતારી

ભાવનગર જિલ્લાનાં પાલીતાણામાં પતિએ ઘરકંકાસનાં કારણે પત્નીને છરીના 14 ઘા મારીને મોતને ઘાટ ઉતારી હોવાની ચોંકવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે જાણ થતાં પાલીતાણા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક યુવતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યો હતો. જ્યારે પત્નીની હત્યા કરનાર આરોપી પતિની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, પાલીતાણાના શક્તિનગર વિસ્તારમાં રહેતા સાગર ચનાભાઈ સરવૈયાએ મુંબઈના દિશાબહેન વર્ષ 2019માં પ્રેમ લગ્ન કર્યા હતા.

જ્યારે આજે બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાનું જણાય છે. જેમાં ઘરકંકાસનાં કારણે પતિ આવેશમાં આવીને પત્નીને 14 છરીના ઘા ઝીંકીને હત્યા નીપજાવી હતી. પાલીતાણામાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પત્નીન હત્યા કર્યા બાદ આરોપી પતિ મૃતક પત્નીની લાશ સામે બેઠો રહ્યો હતો અને ક્ષણિક આવેશમાં કરેલી હત્યા બાદ પછતાયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં પાલીતાણા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચીને હત્યાનો ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!