નવસારી જિલ્લાનાં વિજલપોરનાં ગાયત્રીનગર ખાતે આવેલા મારુતિ કૃપા એપાર્ટમેન્ટમાં પહેલા માળે મકાનના દરવાજાનું તાળું તોડી લોખંડનાં કબાટમાં રાખેલા રૂપિયા ૧,૬૦,૯૦૦/- લાખનાં સોના ચાંદીના દાગીના અને રૂ.૧૦૦૦ રોકડા મળી કુલ રૂપિયા ૧,૬૧,૯૦૦/-ની ચોરી કરી કોઈ અજાણ્યા ચોરો ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, રમેશભાઈ પ્રેમાભાઈ ટંડેલ (રહે.વિજલપોર, ગાયત્રીનગર, મારુતિકૃપા એપાર્ટમેન્ટ, પહેલા માળે, વિનોદભાઈ ખીમજીભાઈના ભાડાના મકાનમાં,તા.જલાલપોર,જિ.નવસારી અને મૂળ રહે.ચીજગામ, રાણાભાઠા, તા.જલાલપર, જિ.નવસારી)એ જલાલપર પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર તારીખ ૩૧-૫-૨૦૨૫ નારોજ ૭:૩૦ વાગ્યેથી ૪:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન તેમની મકાનના દરવાજાને મારેલ તાળું કોઈક સાધન વડે તોડી તસ્કરે ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેણે ઘરમાં રાખેલા લોખંડના કબાટનું સેન્ટ્રલ લોક તોડી સોના ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા ૧,૬૦,૯૦૦/- તથા રોકડા રૂપિયા ૧૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૬૧,૯૦૦/-ની અજાણ્યા ચોર ચોરી કરી ગયા હતા.

