કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રોડ પર લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અને અકસ્માતો અટકાવવા માટે એક નવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. તેમણે કાર્યક્રમ દરમિયાન અકસ્માતો અટકાવવા માટે માસ્ટર પ્લાનની માહિતી આપી હતી. આ યોજનામાં નવા ટુ-વ્હીલર સાથે બે હેલ્મેટ આપવા ફરજિયાત રહેશે. હવે રસ્તા પર ફરજિયાત ડિવાઇડર લગાવવામા આવશે. કેન્દ્રીય મંત્રી ગડકરીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે દર વર્ષે માત્ર શાળાઓ સામે જ માર્ગ અકસ્માતમાં 10 હજાર બાળકો મૃત્યુ પામે છે. તેને રોકવા તૈયારીઓ કરી છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે જે કોઈ ટુ-વ્હીલર ખરીદશે.તો કંપની તેને સારી કંપનીના બે ISI સ્ટાન્ડર્ડ હેલ્મેટ પણ આપશે જેથી વાહન ચલાવતા બંને લોકો હેલ્મેટ પહેરે. તેમણે કહ્યું કે અમે લાંબા સમયથી માર્ગ સલામતી પર ઘણું કામ કર્યું છે પરંતુ હજુ સુધી અમને કોઈ સફળતા મળી નથી. દર વર્ષે 10 હજાર બાળકો ફક્ત શાળાઓ સામે જ મૃત્યુ પામે છે. જ્યારે દર વર્ષે માર્ગ અકસ્માતમાં 1 લાખ 80 હજાર મૃત્યુ થાય છે. અમે માર્ગ સલામતી ઓડિટ કરી રહ્યા છીએ જેમા અકસ્માતના બ્લેક સ્પોટ નક્કી કરવામા આવી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે અમે રાહવીર યોજના પણ તૈયાર કરી છે. આ યોજનામાં, જો કોઈને અકસ્માત થાય છે, તો તેને હોસ્પિટલમાં લાવવામાં આવે છે અને તેનો જીવ બચાવી લેવામાં આવે છે. પછી અમે તેને 25 હજાર રૂપિયાનું ઇનામ આપીશું. આ ઉપરાંત જે કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થશે તેને વધુમાં વધુ 7 દિવસનો ખર્ચ અથવા 1.50 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે અને તેનો જીવ બચાવવાના પ્રયાસો કરવામાં આવશે. જો લોકો અકસ્માતનો ભોગ બનેલા લોકોને હોસ્પિટલ લઈ જવા માટે પહેલ કરે તો આપણે દર વર્ષે 50 હજાર લોકોના જીવ બચાવી શકીએ છીએ.નીતિન ગડકરીએ કહ્યું કે હવે રસ્તા પર પ્રી કાસ્ટ ડિવાઇડર લગાવાશે. હાલમાં લોકો રસ્તાની વચ્ચે અવરોધો કૂદીને આગળ વધે છે જેના કારણે અકસ્માતો થાય છે.
હવે ડિવાઇડરની ઊંચાઈ 3 ફૂટ વધારવામાં આવશે. તેની બંને બાજુ એક મીટર ઊંડો ડ્રેઇન રાખવામાં આવશે જેમાં કાળી માટી નાખવામાં આવશે અને છોડ વાવવામાં આવશે. જેથી કોઈ કૂદીને તેને પાર કરી શકશે નહીં. તેમણે કહ્યું કે અમે મલેશિયાથી નવી ટેકનોલોજી લાવીએ છીએ જેનાથી હજારો કરોડ રૂપિયાની બચત થઈ રહી છે. જેમ કે ચેન્નાઈ, તમિલનાડુમાં મેટ્રોનું નિર્માણ થઈ રહ્યું છે. મલેશિયામાં વપરાતી ટેકનોલોજીનો ઉપયોગ કરીને, અમે બે થાંભલા વચ્ચેનું અંતર ઘટાડીને 120 મીટર કર્યું. જ્યારે પહેલા તે 30 મીટર હતી એટલે કે 3 થાંભલાનો ખર્ચ બચી ગયો. જ્યારે ઉપલા બીમને સ્ટીલને બદલે સ્ટીલ ફાઇબરમાં નાખવામાં આવશે. વધુમાં પ્રિકાસ્ટ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરશે.

