Explore

Search

May 12, 2026

Contact us -7820092500

IAS Coaching

જો ખોટી રીતે કોઈ છંછેડશે તો પછી હું ચૂપ નહીં બેસુ હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ : વસાવા

નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ કેસને લઈ નર્મદાની જ્યુસુશિયલ અને સેશન્સ કોર્ટે જામીન ના મંજુર કરતા ચૈતર વસાવા હાઇકોર્ટમાં ગયા છે.ચૈતર વસાવાના જામીન ના મંજુર થવા પાછળ આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપ અને મનસુખ વસાવાને જવાબદાર ગણે છે ત્યારે મનસુખ વસાવા આ બાબતે ગુસ્સે ભરાયા છે.આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ દેવાભાઈએ જે પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું જેના કારણે કોર્ટે ચૈતર વસાવાના જામીન રદ્દ કર્યા.આમાં મારો કે ભાજપનો કોઈ રોલ નથી.

હું આદિવાસીઓના વિકાસમાં માનું છું, આવી રીતે કોઈની સાથે લડાઈ ઝગડા કરવાથી તો આદિવાસીઓનો વિકાસ રૂંધાય છે સાથે જ વ્યક્તિ વિકાસ પણ રૂંધાય છે.તેથી કોઈના ઉપર આક્ષેપબાજી કર્યા વગર કાનૂની લડાઈ લડો એમાંજ બધાનું હિત છે.આક્ષેપ મૂકી અમને ખોટા સાબિત કરવાના પ્રયાસ કરશો અથવા મને જો ખોટી રીતે કોઈ છંછેડશે તો પછી હું ચૂપ નહીં બેસુ હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ.કોઈ સાહુકાર નથી, હું બધું જાણું છું પણ કોઈની સાથે દુશ્મનાવટ બાંધવામાં હું માનતો નથી તેથી આપણા બધા જ આગેવાનોએ આદિવાસી સમાજનું હિત ક્યાં છે એ અંગે મંથન કરવું જોઈએ.

Advertisement
error: Content is protected !!