Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

ગુજરાત સરકારની પાકિસ્તાનીઓ સામે મોટી કાર્યવાહી

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 લોકોના મૃત્યુ બાદ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલાને પગલે કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે.

હવે ગુજરાત સરકારે પણ આ દિશામાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કેન્દ્ર સરકારના આદેશને પગલે ગુજરાતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને તાત્કાલિક ધોરણે પરત મોકલવા માટે તમામ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને સૂચના આપી દીધી છે. આ આદેશ બાદ ગુજરાતમાં પાકિસ્તાની નાગરિકોને તેમના વતન પરત મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.જો કે, રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થીઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ કાર્યવાહી ફક્ત પાકિસ્તાની નાગરિકો માટે જ રહેશે.

Advertisement
error: Content is protected !!