Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Trending news : નવસારીના ક્વોરીના વેપારીને ભરણપોષણ ચૂકવવા આદેશ

સરકારી કોન્ટ્રાક્ટ તેમજ બાંધકામનું કામ કરનારા નવસારીના ક્વોરીના વેપારીને દર મહિને રૂ.૩૦ હજાર ભરણપોષણ ચૂકવવા માટેનો હુકમ કરાયો હતો. કોર્ટે અરજી કર્યાની તારીખથી હુકમ કર્યો હોવાથી હાલમાં આ રકમ ૨૦ લાખથી પણ વધુ થઇ ગઇ હતી.

આ કેસની વિગત મુજબ સુરત શહેરના મગદલ્લા વિસ્તારમાં રહેતી કાયા ના લગ્ન નવસારીમાં રહેતા કુમાર (બંને નામો બદલ્યા છે)ની સાથે સને ૨૦૦૨માં થયા હતા. લગ્નના બે મહિનામાં કાયા ને ગર્ભ રહ્યો હતો, પરંતુ સાસુના માનસિક ત્રાસને કારણે તેમજ ઘરમાં વધારે કામ કરવાથી ગર્ભનું મિસ કેરેજ થયું હતું. ત્યારબાદ છ મહિના પછી કાયા ને બીજુ સંતાન થયું હતું, ત્યારે પણ કાયા ને કામ કરવા માટે દબાણ કરાતું હતું. દારૂ પીવાની કુટેવ ધરાવતા કુમાર અડધી રાત્રે ઘરે આવે ત્યારે તેને ગરમ જવાનું બનાવી દેવાનું કહીને ત્રાસ અપાતો હતો. આ દરમિયાન કુમાર ના અન્ય સ્ત્રી સાથેના શારીરિક સંબંધો બહાર આવ્યા હતા. કુમારે લગ્ન કરવાનું કહીને કાયા ને ઘરમાંથી માર મારીને હાંકી કાઢી હતી. પિયરમાં ઓશિયાળુ જીવન જીવતી કાયા એ જૂન-૨૦૧૯માં એડવોકેટ પ્રીતિ જીજ્ઞેશ જોષી મારફતે સુરતની કોર્ટમાં ભરણપોષણની સાથે સાથે ઘરેલુ હિંસાનો કેસ પણ કર્યો હતો. કાયા એ પતિની આર્થિક પરિસ્થિતિનો ચિતાર કોર્ટમાં રજૂઆત કરી હતી કે, પતિ સરકારી કોન્ટ્રાક્ટ લે છે, બાંધકામનું કામ કરે છે અને ક્વોરીનો વેપાર પણ કરે છે. શહેર તેમજ ગુજરાતના અનેક વિસ્તારોમાં મોટી પ્રોપર્ટી પણ આવી છે. પતિના કારણે પોતે એકલવાયું જીવન જીવવું પડે છે તેમ કહીને દર મહિને પોતાના તેમજ પુત્રના મળીને રૂ. ૧ લાખનું ભરણપોષણ માંગ્યું હતું. આ અરજીનો ૬ વર્ષે નિકાલ આવ્યો હતો અને કાયા ની અરજી મંજૂર કરાઇ હતી. કોર્ટે રૂ. ૩૦ હજારનું ભરણપોષણ ચૂકવવા માટે કોર્ટે આદેશ કર્યો હતો. Note: News taken from press media sources

Advertisement
error: Content is protected !!