રાજ્યમાં આજે બોર્ડનું ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વહેલી સવારે 9 વાગ્યે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પરિણામ મૂકવામાં આવ્યું હતું. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 51.58 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષમાં 33,731માંથી 17,397 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 
જૂન-જુલાઈ, 2025માં લેવાયેલી પૂરક પરીક્ષામાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર થઈ ચુક્યુ હતુ અને આજે હવે સામાન્ય પ્રવાહનું પણ પરિણામ આવી ગયું છે. બુધવારે શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયા દ્વારા રિઝલ્ટની જાહેરાત કરવામાં આવી હતી. હવે ટૂંક સમયમાં ધોરણ 10નું પણ પરિણામ જાહેર થશે તેવી સંભાવના છે. નોંધનીય છે કે, ધોરણ-10 અને 12માં બોર્ડની પરીક્ષામાં 1-2 વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓનું આખું વર્ષ ન બગડે તે માટે પૂરક પરીક્ષા લેવામાં આવે છે. જેમાં પાસ થયા બાદ વિદ્યાર્થીઓ આ જ વર્ષમાં આગામી અભ્યાસમાં જોડાઈ શકશે.

