નર્મદાનાં દેડિયાપાડા તાલુકાનાં જરગામે રહેતાં ગજરાબેન રમેશભાઈ વસાવાની છોકરી શકુંતલાબેન અનિલભાઈ વસાવા (ઉ.વ.આ.૩૦)ની ગત તારીખ ૧૩ જુનના રોજ ૧૧ વાગ્યાના સુમારે પોતાના ઘરેથી પોતાના મમ્મી ગુજરાબેનને જણાવેલું કે હું દેડિયાપાડા ખાતે દવાખાનામાં જાઉ છું તેમ કહીને જતી રહેલી છે.
જેથી ગજરાબેને જરગામ ગામે તથા સગા સંબંધીઓના ઘરે તપાસ કરેલ પરંતુ મળી આવેલી ન હતી અને આજદિન સુધી તપાસ કરતાં મળી આવેલી નથી જે અંગેની ફરિયાદ દેડિયાપાડા પોલીસ મથકે નોંધવામાં આવી હતી.
Latest News

