વ્યારા નગરનાં ઉનાઇનાકા નજીક આવેલ ખ્રિસ્તી સમાજના પ્રાર્થના ઘર (ચર્ચ) અને તની નજીક ફરી એકવાર બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું.ગેરકાયદેસર બાંધકામ મુદ્દે સ્થાનિક લોકો, આગેવાનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો અગાઉ પણ બાંધકામ વિવાદમાં આવ્યા બાદ રાત્રિના સમયે બાંધકામ થતું હોવાની જાણ થતાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. જેથી મામલતદાર, નગરપાલિકા તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ વિવાદિત બાંધકામ અટકાવ્યું હતું અને મંગળવાર નારોજ વહીવટી તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ગેરકાદેસરના બાંધકામ ઉપર બુલડોઝર ચલાવ્યું હતું.


